મોરબી યાર્ડમાં ચેરમેન ભવાનભાઈ ભાગીયા-વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા
મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
SHARE
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ગામના રહેવાસીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન સંતોષ કેદારભાઈ પાલ (૩૮) વેરોના સિરામિક નજીક હાઇવે રોડ ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદમાં તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં આ ઘટનામાં મૃતકના ગામના રહેવાસી ગેંદાલાલ કેદારનાથ ગોલહઇ કોલ જાતે અનુ. જનજાતિ (૨૩) રહે. હાલ માટેલ રોડ લીજોરા સિરામિક કારખાનાની લેબર કોલોનીમા તાલુકો વાંકાનેર મૂળ ઉત્તરપ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









