મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નકલી ટોલનાકા કાંડમાં બે આરોપીની ભાવનગરથી ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ


SHARE







મોરબી જીલ્લાના નકલી ટોલનાકા કાંડમાં બે આરોપીની ભાવનગરથી ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી અને કલેક્ટર દ્વારા તપાસ માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો જો કે, આજ સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને તપાસનો રિપોર્ટ આપવામાં આવે તેવી શક્યતા છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે આ ગુનામાં બે આરોપીની ભાવનગર જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને મુખ્ય આરોપી સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા ત્યાં પણ રૂપિયા લેવામાં આવતા હતા જેના સમાચાર આવ્યા બાદ ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલવઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાતછેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી

તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે એલસીબીની એક ટીમને ભાવનગર રવાના કરવામાં આવી હતી અને હાલમાં આ ચકચારી કેસમાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને એલસીબીની ટીમે હસ્તગત કરેલ છે અને આ બંને આરોપીને વાંકાનેર સિટી પોલીસને સોંપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે, આ ટોલનાકા કાંડમાં આરોપી અમરીશભાઈ જેરામભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાએ મામલતદારટીડીઓપીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવી હતી જેનો તપાસ રિપોર્ટ આવી ગયેલ છે તેના આધારે આજે સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે






Latest News