મોરબી જીલ્લાના નકલી ટોલનાકા કાંડમાં બે આરોપીની ભાવનગરથી ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ
મોરબીના ખાખરાળા ગામે બે સગા ભાઈઓના ઘરમાં ૬.૧૪ લાખના મુદામાલની ચોરી: ૬ દિવસ બાદ ગુનો નોંધાયો !
SHARE
મોરબીના ખાખરાળા ગામે બે સગા ભાઈઓના ઘરમાં ૬.૧૪ લાખના મુદામાલની ચોરી: ૬ દિવસ બાદ ગુનો નોંધાયો !
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા બે સગા ભાઈઓના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેઓના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેની ગામમાં થતી ચર્ચા મુજબ અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની બંને ભાઈઓના ઘરમાંથી ચોરી થયેલ હતી જો કે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે ચોરીની ફરિયાદ નોંધાયેલ છે જેમાં બંને ભાઈઓના ઘરમાંથી ૪,૬૧,૦૦૦ રોકડા તથા સોના અને ચાંદીના દાગીના મળીને કુલ ૬,૧૪,૫૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા જાતે સંધિ (૩૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના રહેણાંક મકાનમાં તેમજ તેની બાજુમાં રહેતા તેના ભાઈ મુસ્તાકભાઈ અલીભાઈ સુમરાના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તે બંનેના ઘરમાંથી ૪,૬૧,૦૦૦ રોકડા તેમજ સોના ચાંદીના અલગ અલગ દાગીના ૧,૫૩,૫૦૦ આમ કુલ મળીને ૬,૧૪,૫૦૦ ના મુદ્દામાલની ઘરમાંથી ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરીનો આ બનાવ ગત તા. ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના સાડા ચાર દરમ્યાન ધોળા દિવસે બન્યો હતો અને ફરિયાદી તથા તેના ભાઈ મોરબીમાં રહેતા તેના મામાના દીકરાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મોરબી આવ્યા હતા અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી અને તેના ભાઈના ઘરમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે હાલમાં ફરિયાદ નોંધાઈ ગયેલ છે જો કે, ગામમાં લોકોમાં થતી ચર્ચા મુજબ રહીમભાઈ અને તેના ભાઈના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને અંદાજે ૧૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જોકે, પોલીસ ચોપડે ૬,૧૪,૫૦૦ ની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે આ ગુનામાં ચોર પકડાય ત્યારે જ ચોરીના સાચા આંકડાની હક્કિત સામે આવશે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથ