મોરબીના ચકચારી અપહરણ કેસમા બે આરોપીનો જામીન પર છુટકારો
SHARE
મોરબીના ચકચારી અપહરણ કેસમા બે આરોપીનો જામીન પર છુટકારો
મોરબીના ચકચારી અપહરણ કેસમા પકડાયેલા બે આરોપીના જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે
આ કેસની મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, ફરીયાદી તથા સાહેદ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતાં હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ભોગબનનાર સાહેદનું અપહરણ કરવા સારું કાવતરૂ રચી, ગેરકાયદેસર મંડળી રચી, પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારું આ કામના આરોપીઓ ઈકો કારમાં ફરીયાદીના રહેણાંકના મકાને લાકડી લઈને આવ્યા હતા અને ફરીયાદી તથા ભોગબનનાર સાહેદના રહેણાંકના મકાનમાં ગુનાહીત અપપ્રવેશ કરી ભોગ બનનાર સાહેદનું બળજબરી પુર્વક ઈકો કારમાં અપહરણ કરી ગયા હતા અને આરોપીઓ વાડીએ લઈ જઈ, ગેરકાયદેસર અટકાયત કરી, ઝાડ સાથે દોરડા વડે બાંધી રાખી, લાકડાના ધોકા વડે માર મારી, ભુંડી ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આઇપીસી કલમ ૩૯૫, ૩૨૩, ૩૯૮, ૩૪૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી. પી.એકટની કલમ-૧૩૫ મુજબ શકિતસિંહ મહોબતસિંહ વાળા, ભરતભાઈ જીવણભાઈ કળોતરાઓની ધરપકડ કરેલ હતી અને આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા