મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ
SHARE
મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ
મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ શ્રી હરી પાર્ક સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો આર્થિક રીતે ખેતી આધારીત જીવન જીવે છે. અને વર્ષે એક જ વખત વરસાદ આધારીત ખેતી દ્વારા આવક મેળવે છે જેથી કરીને આ ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારમાંથી ખેડૂતો સહિતના લોકો શહેરો તરફ પલાયન ન કરે તે માટે મોરબીના આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળે તેના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્યાં સીંચાઈનું સુવિધા મળી રહે તો ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર બંને સમૃદ્ધ રહેશે વધુમાં જણાવ્યુ છે કે, માળીયા નર્મદાની મેઈન કેનાલ છે જે આમરણ વિસ્તારને ભૌગોલીક રીતે નજીક છે તો આમરણ ગ્રામ્યને માઈનોર નર્મદા કેનાલથી સીંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે