મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ


SHARE













મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ

મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ શ્રી હરી પાર્ક સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો આર્થિક રીતે ખેતી આધારીત જીવન જીવે છે. અને વર્ષે એક જ વખત વરસાદ આધારીત ખેતી દ્વારા આવક મેળવે છે જેથી કરીને આ ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારમાંથી ખેડૂતો સહિતના લોકો શહેરો તરફ પલાયન ન કરે તે માટે મોરબીના આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળે તેના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્યાં સીંચાઈનું સુવિધા મળી રહે તો ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર બંને  સમૃદ્ધ રહેશે વધુમાં જણાવ્યુ છે કે, માળીયા નર્મદાની મેઈન કેનાલ છે જે આમરણ વિસ્તારને ભૌગોલીક રીતે નજીક છે તો આમરણ ગ્રામ્યને માઈનોર નર્મદા કેનાલથી સીંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે






Latest News