મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર
મોરબીમાંથી સગીરાની અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ આરોપીને વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં તેના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું જેથી કરીને પોલીસે આરોપીની અપહરણ તથા પોકસોના ગુનામાં ધરપકડ કરી હતી અને આરોપી રાહુલ જેન્તીભાઈ જોલપરાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેના વકીલે દલીલ કરેલ હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપીના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.









