મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 


SHARE













મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લીલાપર ગામે રહેતા પરિવારની મહિલા બે દીકરીઓ સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પતિ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર ઉપર આવેલા લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરી હતી કે તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે અને ઘરે તાળું મારીને કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયેલ છે જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News