ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારાના મીતાણા ગામે આવેલ નદી અને ડેમના પાણીનો ઓદ્યોગીક હેતુ માટે ગેરરીતિ કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને રોકવામાં આવે અને ડેમ તેમજ નદીના પાણીને ખેતી માટે અનામત રાખવામા આવે તેવી ભૂટકોટડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

ભૂટકોટડા ગ્રામ પંચાયતના સરપંચ ભાગીયા પંકજભાઈ અમરશીભાઈએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં આવેલ ભૂતકોટડા ગ્રામ પંચાયત વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત છે. આ વિસ્તારના ખેડૂતો મીતાણા નદી તથા મીતાણા ડેમના પાણી પર સંપૂર્ણ રીતે નિર્ભર છે. અને હાલની પરિસ્થિતિ મુજબ મીતાણા નદી અને ડેમનું પાણી ચોમાસા તથા શિયાળાની ઋતુમાં પણ ખેતી માટે પૂરતું ઉપલબ્ધ નથી. તેમ છતાં, આ જ પાણીનો ઉપયોગ ઉદ્યોગો-કારખાનાઓ માટે કરવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોના હિત વિરુદ્ધ અને ગંભીર ચિંતાનો વિષય છે. અને મીતાણા ડેમ સામે આવેલ એક કંપનીમાં નદી/ ડેમનું પાણી ગેરરીતે આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક વ્યક્તિઓ દ્વારા નદી તથા ડેમમાંથી પાણી ઉપાડી તેમના ખેતરમાં લેવામાં આવે છે અને અમુક કારખાનામાં પાઈપલાઈનથી પાણી લઈ જવામાં આવે છે જેથી કરીને ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા મીતાણા નદી તથા ડેમનું પાણી ફક્ત અને ફક્ત ખેતી હેતુ માટે જ અનામત રાખવું, કોઈપણ ઉદ્યોગ કે કારખાનામાં પાણી આપવાની મંજૂરી આપવી નહીં, મીતાણા ડેમ સામે આવેલ કારખાનામાં પાણી આપવાની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવી અને ગેરરીતિ જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને પાણી પુરવઠા/ સિંચાઈ વિભાગ દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવે કે ભવિષ્યમાં મીતાણા નદી અને ડેમનું પાણી ઉદ્યોગોને આપવામાં નહીં આવે તેવી માંગ કરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોની ખેતીની જમીન સૂકી અને બિનઉપયોગી બનવાની શક્યતા છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને યોગ્ય કરવામાં આવે તેવી લાગણી સરપંચે વ્યક્ત કરી છે.






Latest News