મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમા સ્વચ્છ કરીને ઉજવી થર્ટી ફર્સ્ટ
મોરબીમાં પરિણીતાને ત્રાસના કેસમાં પતિ સહિત ત્રણનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પરિણીતાને ત્રાસના કેસમાં પતિ સહિત ત્રણનો નિર્દોષ છુટકારો
મોરબીમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ અને સાસરાની સામે ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પતિ સહિતના ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે
આ કેશની હકીકત એવી છે કે, ગીતાબેન ડેવિશભાઇ પરમાર રહે. વાઘપરા મોરબી વાળાએ વર્ષ ૨૦૧૮ માં તેમના પતિ ડેવિશભાઇ રસીકભાઇ પરમાર તેમના સસરા રસીકભાઇ ઓધવજીભાઇ પરમાર તથા સાસુ વર્ષાબેન રસીકભાઇ પરમાર સામે ઇપીકોની કલમ-૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા કરી હતી જે અંગેનો ફોજદારી કેઇસ મોરબીની ચીફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમા નોધાયેલ હતો અને આ કેસ મોરબીના એડિશનલ ચિફ જ્યુ.મેજી.ફ.ક.સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે આકેસમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.