મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરાઇ
વાંકાનેરના તીથવા ગામે વાડીએ પ્રસાદી લેવા આવવાનું ન કહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના તીથવા ગામે વાડીએ પ્રસાદી લેવા આવવાનું ન કહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકાના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનું તેને સારું ન લાગતા પિતા પુત્ર દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રોનકભાઈ રમેશભાઈ મેસરિયા (૨૧) નામના યુવાનને ગોવિંદભાઈ કાનાભાઈ અઘારા અને તેના દીકરા ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા દ્વારા હુમલો કરીને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકભાઈ મેસરિયાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં ભોગ બનેલા યુવાનના પિતા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓની વાડીએ માતાજીના મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રસાદ લેવા માટે થઈને ગોવિંદભાઈ અઘરા તથા તેના દીકરા ભરતને કહ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે રોનકને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેને ફોન ઉપર અપશબ્દો કહ્યા હતા અને વાડીએ આવીને તેની સાથે બોલાચાલી કરીને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે