મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !


SHARE







લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !

વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તે પૂછ્યું હતું ત્યારબાદ કબાટના ખાનામાંથી ૫૦,૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરીને તે બંને શખ્સો ભાગી ગયા હતા જો કે આ અંગેની ભોગ બનેલા પરિવારના વ્યક્તિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજ ખીજડીયા ગામે રહેતા મુકેશભાઈ શામજીભાઈ દેકાવાડીયાનો દીકરો મહાદેવ (૯) વાંકાનેર તાલુકાનાં સિંધાવદર પાસે સ્કૂલમાં ભણતો હોય ગત તા ૨૮/૧૨ ના રોજ બપોરના સવા વાગ્યે તે શાળાએથી પાછો આવ્યો હતો અને ત્યારે મુકેશભાઈ દેકાવાડીયા અને તેના પરિવારજનો વાડીએ હતા જોકે ઘરનું બારણું ખોલીને મુકેશભાઈનો દીકરો મહાદેવ ઘરમાં ગયો તેની પાછળ બે અજાણ્યા શખ્સો પણ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે શખ્સોએ બાળકને બે લાફા માર્યા હતા અને ત્યારબાદ તેને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તેવું પૂછ્યું હતું અને કબાટમાંથી રોકડા ૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે આ અંગેની ભોગ બનેલા મુકેશભાઈ દેકાવાડીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News