મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા


SHARE







મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા

આજના ઘોર કળિયુગમાં લોકો જ્યારે રૂપિયા ૫૦ કે ૧૦૦ ની લાલચ માટે ખોટું કરતા કે છેતરપિંડી કરતા અચકાતા નથી ત્યારે મોરબીના પ્રમાણિક અને પ્રતિષ્ઠિત જાણીતા ડો. કલ્પેશ એમ. ચૌહાણના યુવાન એન્જિનિયર પુત્ર અને વેપારી પાર્થભાઈ ચૌહાણે તેઓ HDFC બેંકની શક્તિ પ્લોટ, મેઈન રોડ બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા ગયા હતા ત્યારે કેશિયરે ભૂલમાં તેમને રૂપિયા એક લાખના બદલે બે લાખ આપી દીધા હતા. અને ઉતાવળમાં રહેલા પાર્થભાઈ નાણાં ગણવાને બદલે કેશિયરે આપતા તેઓ જોયા વગર સીધા જ નીકળી ગયા હતા. ઘરે પહોંચતા તેમને ખ્યાલ આવ્યો  કે આ તો રૂપિયા એક લાખના બદલે બે લાખ આવી ગયા છે, આથી તેમણે તુરંત જ બેંકના જવાબદાર અધિકારીને જાણ કરી હતી. જો કે ત્યાં સુધી નાણાં આપનાર કેશિયર, બેંકના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીને આ ગંભીર ક્ષતિનો ખ્યાલ જ ન હતો. ત્યારે સામેથી રૂપિયા એક લાખ જેવી મોટી રકમ આપવા આવેલા પાર્થભાઈ ચૌહાણનો અધિકારીએ રૂબરૂ તેમજ પત્ર લખી આભાર માન્યો  છે.






Latest News