મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા


SHARE













મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા

આજના ઘોર કળિયુગમાં લોકો જ્યારે રૂપિયા ૫૦ કે ૧૦૦ ની લાલચ માટે ખોટું કરતા કે છેતરપિંડી કરતા અચકાતા નથી ત્યારે મોરબીના પ્રમાણિક અને પ્રતિષ્ઠિત જાણીતા ડો. કલ્પેશ એમ. ચૌહાણના યુવાન એન્જિનિયર પુત્ર અને વેપારી પાર્થભાઈ ચૌહાણે તેઓ HDFC બેંકની શક્તિ પ્લોટ, મેઈન રોડ બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા ગયા હતા ત્યારે કેશિયરે ભૂલમાં તેમને રૂપિયા એક લાખના બદલે બે લાખ આપી દીધા હતા. અને ઉતાવળમાં રહેલા પાર્થભાઈ નાણાં ગણવાને બદલે કેશિયરે આપતા તેઓ જોયા વગર સીધા જ નીકળી ગયા હતા. ઘરે પહોંચતા તેમને ખ્યાલ આવ્યો  કે આ તો રૂપિયા એક લાખના બદલે બે લાખ આવી ગયા છે, આથી તેમણે તુરંત જ બેંકના જવાબદાર અધિકારીને જાણ કરી હતી. જો કે ત્યાં સુધી નાણાં આપનાર કેશિયર, બેંકના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીને આ ગંભીર ક્ષતિનો ખ્યાલ જ ન હતો. ત્યારે સામેથી રૂપિયા એક લાખ જેવી મોટી રકમ આપવા આવેલા પાર્થભાઈ ચૌહાણનો અધિકારીએ રૂબરૂ તેમજ પત્ર લખી આભાર માન્યો  છે.






Latest News