મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા
SHARE
મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા
આજના ઘોર કળિયુગમાં લોકો જ્યારે રૂપિયા ૫૦ કે ૧૦૦ ની લાલચ માટે ખોટું કરતા કે છેતરપિંડી કરતા અચકાતા નથી ત્યારે મોરબીના પ્રમાણિક અને પ્રતિષ્ઠિત જાણીતા ડો. કલ્પેશ એમ. ચૌહાણના યુવાન એન્જિનિયર પુત્ર અને વેપારી પાર્થભાઈ ચૌહાણે તેઓ HDFC બેંકની શક્તિ પ્લોટ, મેઈન રોડ બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા ગયા હતા ત્યારે કેશિયરે ભૂલમાં તેમને રૂપિયા એક લાખના બદલે બે લાખ આપી દીધા હતા. અને ઉતાવળમાં રહેલા પાર્થભાઈ નાણાં ગણવાને બદલે કેશિયરે આપતા તેઓ જોયા વગર સીધા જ નીકળી ગયા હતા. ઘરે પહોંચતા તેમને ખ્યાલ આવ્યો કે આ તો રૂપિયા એક લાખના બદલે બે લાખ આવી ગયા છે, આથી તેમણે તુરંત જ બેંકના જવાબદાર અધિકારીને જાણ કરી હતી. જો કે ત્યાં સુધી નાણાં આપનાર કેશિયર, બેંકના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીને આ ગંભીર ક્ષતિનો ખ્યાલ જ ન હતો. ત્યારે સામેથી રૂપિયા એક લાખ જેવી મોટી રકમ આપવા આવેલા પાર્થભાઈ ચૌહાણનો અધિકારીએ રૂબરૂ તેમજ પત્ર લખી આભાર માન્યો છે.