ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE













હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામે પાણી ભરેલ ખાડીમાં માછીમારી તેમજ નાહવા માટે અવારનવાર જતા આધેડ પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બગલીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં દેવશીભાઈ રબારીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઈ તડવી જાતે આદિવાસી (૫૫) સુખપર ગામની સીમમાં ગળતીની પાણી ભરેલ ખાડીમાં અવારનવાર માછલી પકડવા તેમજ ન્હાવા માટે જતા હતા દરમિયાન કોઈ કારણોસર તે ખાડીમાં ભરેલા પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને ભીમજીભાઈ તડવીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અર્જુનભાઈ ભીમજીભાઇ તડવી જાતે આદિવાસી (૩૭) રહે. ગઢસીસા ગામની સીમમાં હરેશભાઈ રંગાણીની વાડીએ માંડવી જિલ્લો કચ્છ ભુજ મૂળ છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ દેવજીભાઈ કુંભારવાડીયા (૩૪) નામનો યુવાન બાઈક લઈને પોતાના કામથી બેલા આમરણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં વિક્રમભાઈને ઇજા થતાં હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ છે






Latest News