મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત


SHARE







માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત

માળીયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા આધેડ પુરુષનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ડૂબી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા આધેડ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અજાણ્યા ૫૦ વર્ષના આધેડ પુરુષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની માળીયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખાણ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે

રિક્ષા-કાર વચ્ચે અકસ્માત

મોરબીના ઊંચી માંડલ ગામથી નીચીમાંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીતેશ માયાભાઇ રાતડીયા (૨૨), રાહુલ ભરતભાઈ ગગિયા (૩૮), દિવ્યેશ મોહનભાઈ સોનાગરા (૨૩) અને હિરેન મેરાભાઈ ગગીયા (૩૦) નામના ચાર યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News