મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE







હળવદના સુખપર ગામે પાણીની ખાડીમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામે પાણી ભરેલ ખાડીમાં માછીમારી તેમજ નાહવા માટે અવારનવાર જતા આધેડ પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બગલીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં દેવશીભાઈ રબારીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઈ તડવી જાતે આદિવાસી (૫૫) સુખપર ગામની સીમમાં ગળતીની પાણી ભરેલ ખાડીમાં અવારનવાર માછલી પકડવા તેમજ ન્હાવા માટે જતા હતા દરમિયાન કોઈ કારણોસર તે ખાડીમાં ભરેલા પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને ભીમજીભાઈ તડવીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અર્જુનભાઈ ભીમજીભાઇ તડવી જાતે આદિવાસી (૩૭) રહે. ગઢસીસા ગામની સીમમાં હરેશભાઈ રંગાણીની વાડીએ માંડવી જિલ્લો કચ્છ ભુજ મૂળ છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ દેવજીભાઈ કુંભારવાડીયા (૩૪) નામનો યુવાન બાઈક લઈને પોતાના કામથી બેલા આમરણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં વિક્રમભાઈને ઇજા થતાં હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ છે






Latest News