ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત


SHARE













માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત

માળીયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા આધેડ પુરુષનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ડૂબી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા આધેડ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અજાણ્યા ૫૦ વર્ષના આધેડ પુરુષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની માળીયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખાણ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે

રિક્ષા-કાર વચ્ચે અકસ્માત

મોરબીના ઊંચી માંડલ ગામથી નીચીમાંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીતેશ માયાભાઇ રાતડીયા (૨૨), રાહુલ ભરતભાઈ ગગિયા (૩૮), દિવ્યેશ મોહનભાઈ સોનાગરા (૨૩) અને હિરેન મેરાભાઈ ગગીયા (૩૦) નામના ચાર યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News