મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું


SHARE









મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું

આગામી ૨૨ મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત- પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ કારસેવક અનોપસિંહના નિવાસ સ્થાને મંત્રોચાર દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકો દ્વારા અક્ષત કુંભને શોભાયાત્રા બેન્ડબાજા સાથે ગરબા-રાસ કરતા કરતા મોચી ચોકથી મધુર ચોક, ગ્રીન ચોકથી દરબાર ગઢ થઈને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે અક્ષત કુંભના સામૈયા કર્યા હતા આ સમગ્ર શોભા યાત્રામાં લોકો દ્વારા અક્ષત કુંભનું સ્વાગત-પૂજન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા જોવા મળ્યા હતા અને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે ધર્મસભામાં પીપળી ગામના હરિહર આશ્રમના મહંત શરદ મુનિ ઉદાસીને આશીર્વચન આપ્યા હતા તેમજ કાર સેવકો પ્રદીપભાઈ વાળા અને અનોપસિંહ જાડેજાએ ૧૯૯૦-૯૨ ની કાર સેવાની યાદોને તાજી કરી હતી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના મુખ્ય વક્તા પિન્ટુભાઈ મેરજાએ રામ જન્મભૂમિના સંઘર્ષની વાત કરી હતી અને આગામી ૨૨ જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું હતું






Latest News