મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ


SHARE







મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ

મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થિનીઓએ ગીતાના શ્લોક પર અંતાક્ષરીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો જે જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમમાં બગથળા ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને માતાઓએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારતના ગીત, ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતા સંદેશ પર કૃતિઓ રજૂ કરી હતી. આમ બગથળા ગામના આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોમાં રહેલા ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોના દર્શન થયા હતા.






Latest News