મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું
મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ
SHARE
મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ
મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થિનીઓએ ગીતાના શ્લોક પર અંતાક્ષરીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો જે જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમમાં બગથળા ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને માતાઓએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારતના ગીત, ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતા સંદેશ પર કૃતિઓ રજૂ કરી હતી. આમ બગથળા ગામના આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોમાં રહેલા ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોના દર્શન થયા હતા.