મોરબીમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઈ
મોરબીમાં જીલ્લામાં રહેતા વ્યાસજ્ઞાતિના લોકો માટે રક્તદાન-બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં જીલ્લામાં રહેતા વ્યાસજ્ઞાતિના લોકો માટે રક્તદાન-બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પનું આયોજન
મોરબી જિલ્લામાં વસતા તમામ વ્યાસજ્ઞાતિ પરિવારના લોકો માટે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા રક્તદાન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી જિલ્લામાં વસતા તમામ વ્યાસજ્ઞાતિ પરિવારના લોકોને આગેવાનોએ જણાવ્યુ છે કે, શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા તમામ જ્ઞાતિજનો માટે રક્તદાન તેમજ બ્લડ ગ્રૂપ ચકાસણી માટેના કેમ્પનું આયોજન તા ૭/૧ ના રોજ સવારે ૯ થી ૧૨.૩૦ ધનશ્રી હોસ્પિટલ, શનાલા રોડ, ગુરૂ દત્તાત્રેય મંદિર સામેની શેરી, મોરબી ખાતે કરેલ છે. જેમાં રકતદાન સાથે બ્લડ ગ્રુપ ચકાસણી પણ કરી આપવામાં આવશે જેમાં જ્ઞાતિજનોના બ્લડ ગ્રૂપનું એક લીસ્ટ, યાદી પણ તૈયાર કરવામાં આવશે. જેથી ક્યારેય પણ કોઇ જ્ઞાતિજનોને બ્લડની જરૂરીયાત ઉભી થાય તો દાતાનો સંપર્ક કરી શકે. અને તાત્કાલીક બ્લડ મેળવી શકે. તો મોરબી જિલ્લામાં વસવાટ કરતા વધુમા વધુ જ્ઞાતિજનોને લાભ લેવા અને જ્ઞાતિહિતના આ કાર્યમાં જોડાવા, સહકાર આપવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના હોદેદારોએ અપીલ કરી છે