મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ


SHARE













મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર મોરબી ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ નિમિત્તે કારયક્રમનું આયોજન કરાયુ હતુ.જેમા મહેન્દ્રભાઈ સવસાણી જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ, જયદીપભાઇ દેત્રોજા ભાજપ અગ્રણી, નિલેશભાઈ સાણજા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય, રાજુભાઈ બદ્રકિયા આરએસએસ જિલ્લા પ્રચારક, પ્રફુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ, અશોકભાઈ કાસુન્દ્રા આરએસએસ કાર્યકર્તા વિગેરે હાજર રહ્યા હતા.આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન આર્યતેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ હતું.તેમજ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પત્રીષ્ઠા મહોત્સવ છે તેના સંદભૅ મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પણ કળશ પૂજન કરીને નાના નાના બાળકોને આવનારી ૨૨ મી તારીખના કાર્યક્રમથી માહિતગાર કરવા શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ પહોંચી હતી અને ટ્રષ્ટીઓ અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા.સ્કૂલના આચાર્ય દ્વારા વિજય તિલક કરીને શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.






Latest News