મોરબી : સેવા કર્યો કરતાં યુવા શક્તિ ગ્રુપનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ
મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ
SHARE
મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર મોરબી ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ નિમિત્તે કારયક્રમનું આયોજન કરાયુ હતુ.જેમા મહેન્દ્રભાઈ સવસાણી જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ, જયદીપભાઇ દેત્રોજા ભાજપ અગ્રણી, નિલેશભાઈ સાણજા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય, રાજુભાઈ બદ્રકિયા આરએસએસ જિલ્લા પ્રચારક, પ્રફુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ, અશોકભાઈ કાસુન્દ્રા આરએસએસ કાર્યકર્તા વિગેરે હાજર રહ્યા હતા.આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન આર્યતેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ હતું.તેમજ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પત્રીષ્ઠા મહોત્સવ છે તેના સંદભૅ મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પણ કળશ પૂજન કરીને નાના નાના બાળકોને આવનારી ૨૨ મી તારીખના કાર્યક્રમથી માહિતગાર કરવા શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ પહોંચી હતી અને ટ્રષ્ટીઓ અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા.સ્કૂલના આચાર્ય દ્વારા વિજય તિલક કરીને શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.