મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેંચાણ
SHARE
મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેંચાણ
મોરબીમાં કાર્યરત હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા.૭ ને રવિવારના સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે ન્ચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ થશે.
જેમા રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી, ગાયના છાણમાથી બનેલી વસ્તુઓ, પાપડ, ખાખરા, કાપડમાથી બનેલી થેલી તથા આસનીયા, માંગરોળનો પ્રખ્યાત લીલાં નારિયળનો હલવો (ખાદીમ પાક) તેજમ ઓર્ગેનિક શાકભાજી મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લે તેવી અપીલ કરેલ છે.