મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આગામી તા. ૨૨ મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન શ્રીરામની યશોકિર્તી ગાથા અને રામ મંદિરના નિર્માણ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવયુગના પ્રાંગણમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના ચરણોમાં શિશ નમાવીને ત્યારબાદ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આગેવાનીમાં અક્ષત કળશને શિશ પર ધારણ કરીને નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ મંચસ્થ રામ ભગવાનના ચરણોમાં કળશને સ્થાપિત કર્યો હતો. કળશયાત્રાનું સ્વાગત એન.સી.સી.ના કેડેટ્સ અને પુષ્પોના વરસાદ અને નવયુગની બાળાઓએ સામૈયા સાથે કર્યુ હતું. આ પ્રોગ્રામમાં બાળકોએ શ્રીરામના ચરણોને સ્વાગતગીત, શૌર્યગીત અને શબ્દોથી પખાળ્યા હતા. આ સાથે ઉપસ્થિત મહેમાનોએ અયોધ્યામાં રામ મંદિરના પુરાતન ઇતિહાસથી લઈને  નવનિર્મિત રામ મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાની વિગતવાર માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. તે દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય, બધા ઘરોમાં દિપ જલાવીને આ ક્ષણને વધાવીએ અને પ્રાણપ્રતિષ્ઠાના અભિજિત મુહૂર્ત સમયે આપણા ઘરની નજીકના મંદિરે મહાઆરતીમાં જોડાવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન કાર્યકરો મહેન્દ્રભાઈ સવસાણી, ભાવિકભાઈ ભટ્ટ, રાજુભાઈ બદ્રકીયા, મિલનભાઈ પૈડા, જયદીપભાઈ દેત્રોજા, રૂપેશભાઈ રાણપરા અને દિનેશભાઈ સાણજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન અને મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાની દેખરેખમાં તમામ વિભાગના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને એન.એસ.એસ. ની ટીમ દ્રારા જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ચારચાંદ લગાવી દીધા હતા.

તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર સ્વાગત કરી પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાઈ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અક્ષત કળશનું સામૈયા સાથે સ્વાગત કરી ભક્તોએ પૂજન કર્યું હતું

 

 






Latest News