મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આગામી તા. ૨૨ મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન શ્રીરામની યશોકિર્તી ગાથા અને રામ મંદિરના નિર્માણ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવયુગના પ્રાંગણમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના ચરણોમાં શિશ નમાવીને ત્યારબાદ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આગેવાનીમાં અક્ષત કળશને શિશ પર ધારણ કરીને નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ મંચસ્થ રામ ભગવાનના ચરણોમાં કળશને સ્થાપિત કર્યો હતો. કળશયાત્રાનું સ્વાગત એન.સી.સી.ના કેડેટ્સ અને પુષ્પોના વરસાદ અને નવયુગની બાળાઓએ સામૈયા સાથે કર્યુ હતું. આ પ્રોગ્રામમાં બાળકોએ શ્રીરામના ચરણોને સ્વાગતગીત, શૌર્યગીત અને શબ્દોથી પખાળ્યા હતા. આ સાથે ઉપસ્થિત મહેમાનોએ અયોધ્યામાં રામ મંદિરના પુરાતન ઇતિહાસથી લઈને  નવનિર્મિત રામ મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાની વિગતવાર માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. તે દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય, બધા ઘરોમાં દિપ જલાવીને આ ક્ષણને વધાવીએ અને પ્રાણપ્રતિષ્ઠાના અભિજિત મુહૂર્ત સમયે આપણા ઘરની નજીકના મંદિરે મહાઆરતીમાં જોડાવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન કાર્યકરો મહેન્દ્રભાઈ સવસાણી, ભાવિકભાઈ ભટ્ટ, રાજુભાઈ બદ્રકીયા, મિલનભાઈ પૈડા, જયદીપભાઈ દેત્રોજા, રૂપેશભાઈ રાણપરા અને દિનેશભાઈ સાણજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન અને મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાની દેખરેખમાં તમામ વિભાગના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને એન.એસ.એસ. ની ટીમ દ્રારા જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ચારચાંદ લગાવી દીધા હતા.

તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર સ્વાગત કરી પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાઈ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અક્ષત કળશનું સામૈયા સાથે સ્વાગત કરી ભક્તોએ પૂજન કર્યું હતું

 

 






Latest News