મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર


SHARE







વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટે તે બંને આરોપીના જામીન મંજૂર કરેલ છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંનેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર દ્વારા દલીલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટને લગતા ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ હતા જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોર્ટે મંજુર કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય આર. બાંભવા, યોગીરાજસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલા  રોકાયેલા હતા






Latest News