મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર


SHARE









વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટે તે બંને આરોપીના જામીન મંજૂર કરેલ છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંનેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર દ્વારા દલીલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટને લગતા ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ હતા જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોર્ટે મંજુર કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય આર. બાંભવા, યોગીરાજસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલા  રોકાયેલા હતા






Latest News