મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબી પાલીકામાં લાંચ લેતા પકડાયેલ કર્મચારીના કોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













મોરબી પાલીકામાં લાંચ લેતા પકડાયેલ કર્મચારીના કોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી નગર પાલીકામાં લગ્ન નોંધણી વિભાગમાં લગ્નનું પ્રમાણ આપવા માટે લાંચ માંગવામાં આવી હતી જેથી એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવીને આરોપીને પકડી લીધેલ હતો અને ફરીયાદ કરી હતી જે ગુનામાં આરોપી મહેન્દ્ર મોહનલાલ ખાખીની જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં તેને વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે

મોરબી નગર પાલિકા કચેરીમાં લગ્ન નોંધણી વિભાગમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખી વિરૂધ્ધ લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે કથિત લાંચ માંગવાના ગુના સબબ તા.૮-૧૧-૨૦૨૩ ના રોજ, મોરબી એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩(૨) મુજબનો ગુનો નોંધાતા પકડાયેલ આક્ષેપિતે, તેમના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો કરવામાં આવી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આક્ષેપિત મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ જામીન અરજીના કામે આરોપીઓના વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે. કારીઆ, અતુલ સી. ડાભી, મનીષ કે. ભોજાણી, દયારામ ડાભી રોકાયેલા હતા.






Latest News