મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૧૪ મો સ્નેહમિલન સમારોહ મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે પ્રભુદાસ બાપુ (મહંત માતૃશ્રી રામબાઈ માં ધામ- વવાણીયા) તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના ૫૦૦ પરિવારે ભાગ લીધો હતો તેમાં કે.જી. થી લઈને ધો ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને  એક થી ત્રણ નંબર મેળવેલ બાળકોને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ૧૨ દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ટુ ના આહિર કર્મચારી અધિકારીઓએ સ્ટેજ શોભાવ્યું હતું. ત્યારે મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજીવન દાતા ચંદુભાઈ હુંબલ તેમજ જીવનભાઈ ડાંગર સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન સાથે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News