મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે મોડીરાત્રીના દાજી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના રાજપર ગામે મોડીરાત્રીના દાજી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત

 

મોરબી નજીકના રાજપર ગામે રહેતા વૃદ્ધા તા.૮ ના રોજ મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે પ્રાઇમસ ઉપર કામ દરમિયાન દાજી ગયા હતા અને તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું રાજકોટ હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના રાજપર ગામે રહેતા કસ્તુરબેન પ્રભુભાઈ વડગાસિયા નામના ૮૫ વર્ષના વૃદ્ધા તા.૮-૧ ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે પ્રાઇમસ ઉપર કામ કરતા સમયે દાઝી ગયા હતા.જેમાં શરીરે છાતી તથા માથાના ભાગે દાજી ગયેલ હાલતમાં તેઓને પ્રથમ અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સેલસ હોસ્પિટલ ખાતે આઇસીયુ વિભાગમાં એડમિટ કરાયા હતા અને ત્યાં આજે તા.૯-૧ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શ્વાસ ઉપડ્યા બાદ યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે રહેતા બીપીનભાઈ મગનભાઈ ગોહેલ નામના ૪૦ વર્ષના યુવાનને શ્વાસ ઉપડવાને લીધે બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે બીપીનભાઈ ગોહેલને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી હાલ તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સિરામિક સિટીમાં મારામારી

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકના સિરામિક સીટી વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ રાધેશ્યામભાઈ મિશ્રા નામના ૩૨ વર્ષના યુવાનને સીરામીક સીટી વિસ્તારમાં કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.હાલ આ બનાવ અંગે જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાય છે.

બાળક સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો શ્લોક આરસભાઈ વરાણીયા નામનો અઢી વર્ષનો બાળક રમતા રમતા અકસ્માતે કોઈ રીતે કેરોસીન પી ગયો હતો.જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરીને તપાસ કરી હતી.






Latest News