મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડને સીસી રોડ બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકને સનાળા રોડે ડાયવર્ટ કરાયો


SHARE







મોરબીના રવાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો સહિતના લોકોને ઠેબા ખાવા પડતા હતા જોકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા અગાઉ ચોમાસા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મોરબીના અનેક રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવનાર છે દિવાળી પછી અને તેના જ ભાગરૂપે જુદા જુદા વિસ્તારોની અંદર હાલમાં રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા પાસેથી એટલે કે ગાંધી ચોક થી લઈને રવાપર રોડે બાપાસીતારામ ચોકડી સુધી છે સીસી રસ્તા નું કામ મંજુર થયું છે તે રોડ બનાવવા માટેની કામગીરી હાલમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં ગાંધી ચોક પાસેથી રવાપર રોડ બાજુ જવાનું છે તેને બંધ કરીને જેસીબી વડે ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને ઝડપથી આ રસ્તો નું કામ થાય તેના માટે થઈને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે જોકે રવાપર રોડ બાજુ અત્યાર સુધી જે ટ્રાફિક જતો હતો તે ટ્રાફિકને હાલમાં સનાળા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને સનાળા રોડ ઉપરથી જ વાહન ચાલકોને આવક જાવક કરવાની રહેશે જેથી કરીને આગામી સમયમાં ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને તંત્ર દ્વારા હાલમાં શનાળા રોડ ઉપર જે ટ્રાફિક ડાયવર્ટ થયો છે તેને જેલ રોડ ઉપર થઈને ટ્રાફિકને ડ્રાઇવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત રહે તેવી લોકોની લાગણી છે






Latest News