મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ શ્રમિકને સારવારમાં ખસેડાયો


SHARE













મોરબી નજીક કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ શ્રમિકને સારવારમાં ખસેડાયો

મોરબીના અમરેલી-ખીજડીયા રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી શ્રમિકને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના અમરેલી-ખીજડીયા રોડ ઉપર આવેલ વી- બોક્સ ઓટો પેક કંપની ખાતે કામ કરતો અને ત્યાં રહેતો ઓમપ્રકાશ તિવારીરામ નામનો વ્યક્તિ કારખાનામાં કામ કરી રહયો હતો ત્યારે ડ્રાઇ કરતા મશીનમાં હાથ આવી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઓમપ્રકાશ તિવારીરામ નામના વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા નંદલાલભાઈ જમનાદાસ ભાનુશાળી (૪૯) નામના આધેડ પોતાનું બાઈક લઈને રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતરતા તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં બનાવમાં નંદલાલભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News