ટંકારાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
SHARE
ટંકારાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
ટંકારાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગોનો વિશેષ પ્રયોગ રજૂ કરેલ હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન, સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમતના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું. તેમજ વાલી મીટીંગ પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપવામાં આવી હતી આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, લજાઈ સી.આર.સી. કો. શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહયા હતા. આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન આપેલ હતા