ટંકારાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું
SHARE
મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા તથા ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી હેતલબેન ખારેચા અને સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયાના સહયોગથી અક્ષત કળશની પધરામણી મોરબીના શનાળા રોડે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિરે કરાવવામાં આવી હતી ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનુ સ્વાગત કરીને મંદિરના પુજારી સહિતનાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તથા વોર્ડ નં ૯ ના પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા, મોરબી શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા