હળવદનાં જુના દેવળીયા ગામની સરકારી શાળાના બાળકોએ પોસ્ટ ઓફોસની મુલાકાત લીધી
મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ, ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણ દ્વારા હિન્દી ફીલ્મોના જૂના સદાબહાર ગીતો લોકોની સમક્ષ રજૂ કરીને આ કાર્યક્રમમાં આવેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે મિતેશ દેસાઈએ તેમના અદભુત ઓર્કેસ્ટ્રા સાથે ક્લાકરોને સૂર આપ્યા હતા આ તકે મનોજભાઈ રાજાના મિત્ર અને નવસારીના અધિક કલેકટર કેતનભાઇ જોશી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, જ્યંતિભાઈ પટેલ, લાલજીભાઈ મહેતા, હિતેશભાઇ મહેતા, દિનેશભાઇ સખનપરા, ભાવેશભાઈ કંઝારિયા, પરિમલભાઈ ઠક્કર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણ્યો હતો