રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર 


SHARE









મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર  

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરવામાં આવેલ હતા જેની વકીલ મારફતે મોરબી જીલ્લાની અધીક સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેના શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી એવી ફરિયાદ નોંધવેલ હતી કે, ફરીયાદીનો ભાઈ મોરબીના ખોખરા હનુમાન પાસે ફેકટરીમાં નોકરી ઉપર હતો અને તે કોઈ કારણસર ફેકટરીની બહાર ગયેલ હતો ત્યારે કોઈ અજાણયા માણસે કોઈ કારણસર તેને છાતીના ભાગે ચાકુ ના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણયા આરોપીએ ગુનો કરેલ હતો જે અંગેની ફરિયાદ આધારે ગુનાના કામે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને હસ્તગત કરવામાં આવેલ હતા અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો વતી મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતા અને મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરી હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News