મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરવામાં આવેલ હતા જેની વકીલ મારફતે મોરબી જીલ્લાની અધીક સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેના શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી એવી ફરિયાદ નોંધવેલ હતી કે, ફરીયાદીનો ભાઈ મોરબીના ખોખરા હનુમાન પાસે ફેકટરીમાં નોકરી ઉપર હતો અને તે કોઈ કારણસર ફેકટરીની બહાર ગયેલ હતો ત્યારે કોઈ અજાણયા માણસે કોઈ કારણસર તેને છાતીના ભાગે ચાકુ ના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણયા આરોપીએ ગુનો કરેલ હતો જે અંગેની ફરિયાદ આધારે ગુનાના કામે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને હસ્તગત કરવામાં આવેલ હતા અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો વતી મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતા અને મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરી હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.