મોરબીમાં શક્તિપ્લોટ, કાયાજીપ્લોટ અને મેડિકલ કોલેજમાં અક્ષતના કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં શક્તિપ્લોટ, કાયાજીપ્લોટ અને મેડિકલ કોલેજમાં અક્ષતના કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો
અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ શક્તિપ્લોટ તથા કાયાજીપ્લોટમાં પ્રમુખ હાઈટ્સ ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિતના નિવાસસ્થાને રામભક્તો દ્વારા બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મણીધર હનુમાન મંદિર મહંત હરી ચરણદાસજી, આ કાર્યક્રમ - રાખવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, પરેશભાઈ કચોરીયા, દિગ્વીજયસિંહ જાડેજા, નૈમિષભાઈ પંડિત, રૂપેશભાઇ રાણપરા, સી.ડી. રામાવત, ભાવિનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, વિવેકભાઈ સીતાપરા, તેજસભાઈ બારા, મનીષભાઈ હીરાણી, મનોજભાઈ પંડિત સહિતના હાજર રહ્યા હતા આવી જ રીતે ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પત્રીષ્ઠા મહોત્સવ આયોધ્યામાં યોજાવાનો છે ત્યારે મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજે કળશ પૂજન કરીને સ્ટાફ અને વિધાર્થીને માહિતી આપવા માટે શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ ત્યાં પહોંચી હતી આ કાર્યક્રમ માં ડો.વિજય ગઢીયા, ડો દિપક અઘારા, ડો ઉત્સવ દવે, ડિન ડો. કુમાર વિશ્વાસ, અડી. ડિન ડો સંજય, ડો હિરેન સંઘાણી, રાજુ ભાઇ બદરકિયા, જયદીપભાઇ દેત્રોજા, ચંદુભાઇ વૈશ્લાણી વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા. આવી જ રીતે હળવદ રોડે આવેલ હરિઓમ પાર્કમાં પુજીત અક્ષતના કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું