મોરબીમાં ઘૂટું રોડ-મહેન્દ્રનગર ગામે જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા
વાંકાનેરના રાતીદેવળી ગામે ઘરે ઝાડા ઉલટી બાદ મહિલાનું મોત
SHARE
વાંકાનેરના રાતીદેવળી ગામે ઘરે ઝાડા ઉલટી બાદ મહિલાનું મોત
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી મહિલાને ઘરે હતી ત્યારે ઝાડા ઉલટી થયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવળી ગામે રહેતા કમળાબેન ખેંગારભાઈ વોરા (૪૦) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તેને ઝાડા ઉલટી થતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના પરિવારજનો તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના મુકેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસેથી મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતો સાહબાઝ તાજભાઈ સંધવાણી (૩૦) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે