ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા


SHARE













માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા

માળિયા મિયાણાં તાલુકાના વાઘરવા ગામ નજીક બુધવારે રાતના સમયે પેટ્રોલ પંપમાંથી સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને ત્રિપાલ સવારીમાં ત્રણ યુવાનો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના વાહનને હડફેટે લીધું હતું જેથી કરીને એકનું મોત નીપજયું હતું અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા છે જો કે, હજુ સુધી આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના હરીપર ગામના રહેવાસી સલીમ અકબર ભુવડ (૩૫) જાતે ઘાંચી, મુકેશ રાયસિંગભાઈ (૩૮) રહે. મૂળ પંચમહાલ હાલ રહે વધારવા અને દશરથ ઘેલાભાઈ સોલંકી (૩૮) રહે. મૂળ સાણંદ હાલ રહે. વધારવા વાળા એકટીવામાં ત્રિપાલ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે વાધરવા ગામ નજીક પેટ્રોલ પંપમાં સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં એક્ટિવા ઉપર જઈ રહેલા સલીમ અકબર ભુવડ જાતે ઘાંચી (૩૫)ને વધુ ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જો કે, બીજા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મુકેશભાઇ તેના વતનમાં જતાં રહ્યા છે અને દશરથભાઈને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવેલ છે છે અને અકસ્માત કરીને ટ્રક ટ્રેલરનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ છે અને હજુ સુધી આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી તેવું માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના રણજીતભાઈ રોહડિયા પાસેથી જાણવા મળેલ છે

ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ પાસે તા.૧૦ ના રાત્રી દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવવામાં ઈજા પામેલા નીરજ શંકરભાઈ સહાની નામના ૧૮ વર્ષીય યુવાનને પણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળિયા પોલીસ મથકનો હોવાથી આગળની તપાસ માટે ત્યાં જાણ કરાયેલ છે.






Latest News