મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાનાં જેતપર ગામે રહેતા વૃદ્ધાનું અવસાન થયું હતું અને તેની અંતિમવિધિ પહેલા જ તેના એક દીકરાને છાતીમાં દુખાવો થયો હતો જો કે, અંતિમવિધિ પૂરી થયા બાદ વૃદ્ધના દીકરાનું પણ હાર્ટ એકેટથી મોત નીપજ્યું હતું જેથી કરીને એક જ ઘરમાંથી એક જ દિવસમાં બે વ્યક્તિના અવસાન થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

મોરબીના જેતપર ગામે રહેતા ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા (૮૦)નું ગઇકાલે વહેલી સવારે ઉમરના લીધે અવસાન થયું હતું અને તેના દીકરા પૈકીનાં સુખદેવભાઈ અમરશીભાઈ અઘારા ખેતી કામ કરતાં અને તેઓના માતાનું અવસાન થતાં તેઓને ઊંડો આઘાત લાગ્યો હતો. અને તેઓના છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જો કે, પ્રાથમિક સારવાર આપીને ઘરે આવી ગયા હતા અને માતાની અંતિમવિધિ પુરી થયા પછી સારવાર લેવા માટે જવાનું નક્કી કર્યું હતું અને તેને છાતીમાં વધુ દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી લઈને આવતા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એકેટથી સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું મોત થયું હતું. જેથી કરીને અઘારા પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું






Latest News