ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાનાં જેતપર ગામે રહેતા વૃદ્ધાનું અવસાન થયું હતું અને તેની અંતિમવિધિ પહેલા જ તેના એક દીકરાને છાતીમાં દુખાવો થયો હતો જો કે, અંતિમવિધિ પૂરી થયા બાદ વૃદ્ધના દીકરાનું પણ હાર્ટ એકેટથી મોત નીપજ્યું હતું જેથી કરીને એક જ ઘરમાંથી એક જ દિવસમાં બે વ્યક્તિના અવસાન થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

મોરબીના જેતપર ગામે રહેતા ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા (૮૦)નું ગઇકાલે વહેલી સવારે ઉમરના લીધે અવસાન થયું હતું અને તેના દીકરા પૈકીનાં સુખદેવભાઈ અમરશીભાઈ અઘારા ખેતી કામ કરતાં અને તેઓના માતાનું અવસાન થતાં તેઓને ઊંડો આઘાત લાગ્યો હતો. અને તેઓના છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જો કે, પ્રાથમિક સારવાર આપીને ઘરે આવી ગયા હતા અને માતાની અંતિમવિધિ પુરી થયા પછી સારવાર લેવા માટે જવાનું નક્કી કર્યું હતું અને તેને છાતીમાં વધુ દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી લઈને આવતા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એકેટથી સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું મોત થયું હતું. જેથી કરીને અઘારા પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું






Latest News