તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE













મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું

મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું હતું અને આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ યોજવાનો છે તેનો આનંદ લોકો જોવા મળ્યો હતો કેમ કે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર અમૃત વાટિકા સોસાયટીના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે અવની ચોકડીથી ધૂન ભજન, રાસની લોકોએ રમઝટ બોલાવી હતી અને સોસાયટીના ચોકમાં શ્રીરામને સમર્પિત ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી અંતે રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશની આરતી ઉતારી અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતુ






Latest News