મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું
SHARE
મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું
મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું હતું અને આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ યોજવાનો છે તેનો આનંદ લોકો જોવા મળ્યો હતો કેમ કે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર અમૃત વાટિકા સોસાયટીના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે અવની ચોકડીથી ધૂન ભજન, રાસની લોકોએ રમઝટ બોલાવી હતી અને સોસાયટીના ચોકમાં શ્રીરામને સમર્પિત ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી અંતે રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશની આરતી ઉતારી અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતુ