મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !
SHARE
મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !
મોરબીમાં કપડા લેવાની માતા પિતાએ ના પાડતા ઘરેથી કહ્યા વગર સગીરા નીકળી ગયેલ હતી અને તે સગીરાનુ પરિવાર સાથે ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું છે.
મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા પાસે ગયા હતા અને સગીરાને સાંત્વના આપીને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સગીરાએ જણાવેલ હતું કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જો કે, હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેવું કહ્યું હતું ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને બોલાવેલ હતા અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ હતી અત્રે ઉલેખનીય છે કે, માતા અને પિતાએ તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગઈ હતી જો કે, ૧૮૧ ની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.