મોરબી જીલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નવા હોદેદારોની વરણી
મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે
SHARE
મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે
મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા (૯૧૦૬૫૧૮૧૮૯) અને દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે
મોરબીમાં શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા કોળી ઠાકોર સમાજનાં તેજસ્વી તારલાઓનું આગામી તા. ૨૧ મી જાન્યુઆરીને રવિવારનાં રોજ સવારે ૧૦ વાગ્યે સમાજની વાડી સોઓરડી, જિલ્લા પંચાયત ભવન, પાછળ સન્માન કરવામાં આવશે ત્યારે સ્નેહમિલન પણ રાખવામા આવ્યું છે જેનો મુખ્ય હેતું સમાજનાં વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન મળે અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને જોઈને બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળશે તેવો છે તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે જેથી સમાજનાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના કાર્યક્રમમાં તેના માતા પિતા તેમજ સમાજનાં આગેવાનો, સહયોગીયો અને વડીલોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે