મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણ મુસાફરોને ઈજા
SHARE
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણ મુસાફરોને ઈજા
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તા.૧૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રીક્ષાને પાછળના ભાગેથી ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રીક્ષામાં બેઠેલા મુસાફર એવા નરેશભાઇ રામજીભાઈ પાલ (ઉંમર ૩૫) રહે.મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ વાળાને ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જ આવેલા જાંબુડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભુરાલાલ લાલજીભાઇ ગરાસીયા (ઉંમર ૧૮) અને સુમિત્રાબેન ભૂરાલાલ (ઉંમર ૧૮) ને પણ ઇજાઓ પહોંચી હતી જેથી ત્રણેયને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી.
બાળકી સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે વિજયનગર વિસ્તારમાં રહેતા પરિવારની આરતીબેન સંજયભાઈ ભરવાડીયા નામની નવ વર્ષની બાળકીને ઇલેક્ટ્રીક શોટ લાગતા અહિંની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.ઉપરોક્ત બાબતે વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી-નીચી માંડલ ગામની વચ્ચે કચરો વીણવાનું કામ કરતા સમયે ઇલેક્ટ્રીક વીજ વાયરને અડી જતા શોટ લાગવાથી ભારતીબેન ભરવાડીયા નામની નવ વર્ષની બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી આ બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણી દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરાઈ છે અને આ દિશામાં તેઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે કોઈ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં રોહિતભાઈ ભીખાભાઈ તન્ના (ઉંમર ૩૩) રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીના બનાવમાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા અગાઉ થયેલ મારામારીના બનાવમાં સંડોવાયેલા જતીન કાનજીભાઈ મુછડીયા (ઉંમર ૨૧) રહે.નજરબાગ પાછળ જીવરાજપાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરવામાં આવી હતી.