ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં રામાયણ ક્વિઝનું આયોજન કરાયું


SHARE







મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં રામાયણ ક્વિઝનું આયોજન કરાયું

રામાયણ અને મહાભારતએ વિશ્વના મહાન અને સૌથી મોટા કાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. રામાયણએ તો આપણું જીવન દર્શન છે. રામાયણ આપણા સૌના જીવનમાં ત્યાગ, તપ, સહનશીલતા, ભાતૃભાવ, પરિવારભાવના, સત્ય, કરુણા, પતિવ્રત, મમત્વ જેવા ગુણો સાકારિત કરે છે. શાળા-કૉલેજ કક્ષાએ જ્ઞાન-વિજ્ઞાનની ક્વિઝનું આયોજન તો થતું હોય છે, ત્યારે રામાયણ દર્શનના ગુણો વિદ્યાર્થીકાળથી જ જીવનમાં ઉજાગર થાય તેવા ઉમદા આશય સાથે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં 'રામાયણ ક્વિઝ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'રામાયણ ક્વિઝ'ના પ્રારંભમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ કાલરિયાએ 'રામાયણ ક્વિઝ'ને અનુરૂપ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. 'રામાયણ ક્વિઝ'માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને એસ.એમ.સી.  શિક્ષણવિદ્ જતીનભાઈ વામજા તથા શિક્ષકગણના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલીગણે હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. 'રામાયણ ક્વિઝ'ને સફળ બનાવવા શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા, મદદનીશ શિક્ષક અશોકભાઈ ફેફર, પ્રફુલભાઈ ફેફર, મનિષાબેન રાજપરા, ઉષાબેન ઝાલરીયા, યાજ્ઞિકભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી. 'રામાયણ ક્વિઝ'નું સફળ સંચાલન મદદનીશ શિક્ષક સંજય બાપોદરિયા તથા એસટીપી વર્ગના શિક્ષિકા પારૂલબેન કુંભરવાડિયાએ કર્યું હતું.






Latest News