ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો
SHARE
ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો
ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ માટે ફિલ્ડ વિઝીટ અને શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. ૩ થી ૫ ના બાળકોએ ફિલ્ડ વિઝીટ કરી હતી અને તેમાં રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો. ૧ અને ૨ ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી ત્યારે શાળાના શિક્ષકો અદ્રોજા કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલપેશભાઈ પુજારા સહિતના સાથે રહ્યા હતા