મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને ના કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને ના કરવાનું કરી નાખ્યું

મોરબી શહેરના વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેથી આવેશમાં આવીને તે યુવાને વીડી વિસ્તારમાં બાવળના ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની તેના દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા હમીરભાઈ બાજુભાઈ લુવારીયા જાતે દેવીપુજક (૩૫)એ વીડી વિસ્તારમાં બાવળના ઝાડ સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની તેના ભાઈ મનસુખભાઈ બાજુભાઈ લુવારીયા જાતે દેવીપુજક (૩૦) રહે. હાલ માળિયા ફાટક પાસે સીએનજી પમ્પની બાજુમાં ઝૂપડામાં મોરબી મૂળ રહે પાલડી જીલ્લો ભાવનગર વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના ભાઈના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. હાલમાં આપઘાતના આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને ઘરે તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેને આવેશમાં આવીને આ પગલું ભરી લીધું હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બટુકભાઈ બોસિયા (૩૩) નામનો યુવાન રિક્ષામાં કંડલા બાયપાસ રોડ ઉપર જઈ રહ્યો હતો અને ત્યાં રોડ ક્રોસ કરતાં સમયે બોલેરો ગાડીના ચાલાકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News