મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો
SHARE
મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો
મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ત્યારે ગામના લોકોએ ઉત્સાહભેર રથને આવકાર્યો હતો ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, સરકારે લોક કલ્યાણ માટે જન્મથી માંડીને મૃત્યુ સુધીને યોજનાઓ બનાવી છે. ખેડૂતોને તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી મળશે. આ પ્રસંગે વિકસિત ભારતની આ યાત્રામાં સૌને સહાભાગી બનવા તેમણે હાકલ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાના લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અનુસૂચિત જાતિ નાયબ નિયામક ડી.એમ. સાવરિયા, ગામના સરપંચ અને સભ્યો તેમજ અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.