મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો
મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે પંચ દિવસ રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા ૨૨ ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરમાં તા. ૧૬ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ સભા, પૂજિત અક્ષત કળશનું સ્વાગત, શ્રીરામ ભગવાન વિશે વક્તવ્ય, ગીત, ધૂન, રામચરિત માનસ પાઠ, વિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થ, પ્રેઝન્ટેશન, ભરતનાટ્યમ કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણ, દીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વગેરે કાર્યક્રમ યોજાશે
ચિત્રા હનુમાનજી ધુન મંડળ
મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે દાન પુણ્યનું ખુબ જ મહત્વ હોય છે તે અંતર્ગત મોરબી પાંજરાપોળની ૪૫૦૦ ગાયોના નિભાવ માટે ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાયોના ઘાસચારા અને તેમના નિભાવ માટે શનાળા રોડ પર આવેલા સોમનાથ માર્કેટ પાસે મોરબી પાંજરાપોળનો સ્ટોલ ઊભો કરવામાં આવેલ હતો ત્યાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો દ્વારા સેવા આપવામાં આવેલ હતી જેમાં ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કડીવાર, વસંતભાઈ માકાસણા, લાયન્સ કલબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પૂર્વ પ્રમુખ એ.એસ. સુરાણી, અમરશીભાઈ અમૃતિયા, નાનજીભાઈ મોરડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા સેવાભાવી સભ્યો ગોરધનભાઈ અને ઓધવજીભાઈ ભાડજાએ સેવા આપી હતી અને આ સ્ટોલ ઉપરથી ૮૭,૬૬૮ નું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું