મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત

દેશ, રાજ્ય અને જિલ્લાની કન્ઝીયુમર કોર્ટમાં ઘણાં વર્ષોથી કેસનો નિકલા કરવામાં આવતો નથી જેથી કરીને ગ્રાહકોને સમયસર ન્યાય મળતો નથી અને સરકારની યોજના ઉપરથી અને ગ્રાહક સુરક્ષા મંડળ ઉપરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ગ્રાહકને વહેલમાં વહેલી તકે કેસ ચલાવીને ન્યાય આપવામાં આવે તેના માટે વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા હાલમાં વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જે તેમાં જણાવ્યુ છે કે, ગ્રાહકના હક અને હિત માટે ઘણાં સરસ કાયદા લાવવામાં આવ્યા છે અને ૯૦ દિવસમાં જજમેન્ટ આવી જશે તેવું કહેવામા આવે છે જો કે, હાલમાં ગુજરાતની પરીસ્થીતી એવી છે કે, દિલ્હીમાં ચાલતા કેઇસ આઠ આઠ વર્ષ થાય છે છતાં જજમેન્ટ આવતાં નથી અને અમદાવાદ સ્ટેટ કમીશનમાં દશ દશ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતા નથી તેમજ જીલ્લા ગ્રાહક તકરાર આયોગમાં પાંચ પાંચ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતાં નથી જેના કારણે ગ્રાહકને તાત્કાલીક પડે છે અને ન્યાય મળે તે યોજના નિષ્ફળ જતી હોય તેવુ લાગી રહયું છે જેથી કરીને ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા પરથી વિશ્રવાસ ઉઠતો જાય છે તેવુ જોવા મળી રહ્યું છે અને ઘણા કેસમાં તો અમુક વકિલો હાજર રહેતાં નથી જેથી તે વકિલોને કેઇસ ચલાવવામાં રસ નથી આવા વકિલોને કારણે યોજનાને નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું છે જેથી આવા અરેગ્યુલર વકિલોની સનદો અચુક સમય માટે કેન્સલ કરવી જોઇએ જેથી ગ્રાહક તરફ ઘ્યાન આપી શકે અદાલત અને વકિલોની વચ્ચે પ્રજા પીસાઇ છે તો આ બાબત ગ્રાહકને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે






Latest News