મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો


SHARE







હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો

હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે ત્રણ સગા ભાઇઓની ઉપર મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને હાલમાં ઇજા પામેલા યુવાને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮) તેના ભાઈ જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા (૨૬) અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૪) ઉપર હળવદના ગોરી દરવાજા પાસે મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય ભાઈઓને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮)નું મોત નીપજયું હતું અને તેના ભાઈ હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રાને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા દ્વારા નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમારમ સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નટુભાઇએ તેના ભાઈ રવિભાઈ સોનાગ્રા સાથે સેંટિંગના કામ બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ ત્યાંથી તે જતો રહ્યો હતો અને ત્યાર પછી હાથમાં લોખંડના સળિયા અને ખાંપરી લઈને ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે રવિભાઈ અને હિરેનભાઈ સાથે ઝઘડો કરીને ગાળી આપી હતી અને લોખંડના સળિયા અને ખાંપરી વડે માર માર્યો હતો તેમજ નટુભાઇએ તેની પાસે રહેલ છરીના રવિભાઈ અને હિરેનભાઈને પીઠના ભાગે ઘા માર્યા હતા તેમજ ફરિયાદીને અન્ય બે આરોપીઓએ ખાંપરી અને સળિયા વડે માર માર્યો હતો જેથી કરીને હાલમાં જયદીપભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News