મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ
મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ
SHARE
મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ
મોરબી જીલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે અને તેમાં મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે આ ત્રણેય યાર્ડમાં આગામી ૨૨ મી તરીકે રજા જાહેર કરવામાં આવેલ છે
આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન સહિતના હાજર રહેવાના છે ત્યારે આ ભવ્ય અને દિવ્ય દિવસ સહુ માટે યાદગાર બની રહેવાનો છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા ત્રણેય માર્કેટ યાર્ડમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ સોમવારે ૨૨ મી તારીખે હરરજી સહિતનું કામ બંધ રહેશે ત્યાર પછીના દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જશે