મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ
SHARE
મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ
આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ક્ષણને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કામચરી પણ તેઓના પરિવાર સાથે માણી શકે તે માટે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ૨૨ મી જાન્યુઆરીના રોજ રાજ્યની સરકારી કચેરીઓમાં રજાની માંગ કરેલ છે તે ઉપરાંત મોરબી અને હળવદના ધારાસભ્યએ તો તે દિવસે માસ-મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધની પણ માંગ કરી છે.
મોરબી જિલ્લાની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, આગામી તા ૨૨ મી જાન્યુયારીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીમાં રજા રાખવામા આવેલ તેવી માંગ કરી છે તેમજ મોરબી અને હળવદના ધારાસભ્યે તો રાજ્યમાં તે દિવસે માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ કરવાની માંગ કરી છે