માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ


SHARE











મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ

આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ક્ષણને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કામચરી પણ તેઓના પરિવાર સાથે માણી શકે તે માટે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ૨૨ મી જાન્યુઆરીના રોજ રાજ્યની સરકારી કચેરીઓમાં રજાની માંગ કરેલ છે તે ઉપરાંત મોરબી અને હળવદના ધારાસભ્યએ તો તે દિવસે માસ-મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધની પણ માંગ કરી છે.

મોરબી જિલ્લાની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, આગામી તા ૨૨ મી જાન્યુયારીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીમાં રજા રાખવામા આવેલ તેવી માંગ કરી છે તેમજ મોરબી અને હળવદના ધારાસભ્યે તો રાજ્યમાં તે દિવસે માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ કરવાની માંગ કરી છે






Latest News