મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે
SHARE
મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે
આગામી ૨૨ મી તારીખે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે જુદાજુદા અને કાર્યક્રમો યોજાવાના છે તેના ભાગરૂપે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૬:૨૦ કલાકે આ ૨૨૦૦ દિવડાની મહાઆરતી કરવામાં આવશે ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા માટે થઈને મંદિરના કર્તા હર્તા તેમજ મહાઆરતીનું આયોજન કરનારા પરિવાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે